રિસર્ચ કનાર વૈજ્ઞાનિકનો દાવો છે કે આ Mask થી કરવામાં આવેલા ટેસ્ટના રિઝલ્ટને એક બટનથી એક્ટિવ કરી શકાય છે.
વૈજ્ઞાનિકોએ શોધ્યું અનોખુ Mask
90 મિનિટની અંદર આપશે કોરોનાનું રિઝલ્ટ
જાણો આ Mask કઈ રીતે કામ કરે છે?
ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસ મહામારીના સંકટ સામે લડી રહ્યું છે ત્યારે દરરોજ લાખોની સંખ્યામાં કરવા પડી રહેલા કોવિડ ટેસ્ટ એક મોટી સમસ્યા છે. મહામારીની શરૂઆતમાં ટેસ્ટિંગ માટેની સુવિધા અને પદ્ધતિ ખૂબ જ ઓછી હતી પરંતુ
જેમ જેમ વધુને વધુ શોધ કરવામાં આવી તે બાદથી હવે જુદી જુદી પદ્ધતિથી કોરોના વાયરસના ટેસ્ટ થઈ શકે છે.
હવે એવી કીટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં ઘરે બેઠા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી શકાય છે ત્યારે હવે એક એવી શોધ થઈ છે કે Mask પહેરવાથી જ કોરોના વાયરસનો ટેસ્ટ થઈ જશે.
90 મિનિટની અંદર રિઝલ્ટ
હાર્વર્ડ યુનિવર્સિટી અને એમઆઈટીના વૈજ્ઞાનિકોએ એક ‘સસ્તું’ ફેસ Mask ડેવલોપ કર્યું છે જે પહેરનારના શ્વાસથી કોરોના વાયરસની જાણાકારી મેળવી લેશે અને 90 મિનિટની અંદર રિઝલ્ટ પણ આપી શકે છે.
રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકનો દાવો છે કે આ Mask દ્વારા કરવામાં આવેલા ટેસ્ટ દ્વારા રિઝલ્ટને એક બટનથી જ એક્ટિવ કરી શકાય છે. આ એક પોલીમરેઝ ચેન રિએક્શન ટેસ્ટના જેવું છે. જેવી રીતે કોવિડ ટેસ્ટમાં એક ગોલ્ડ સ્ટેડર્ડ હોય છે.
વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર, Mask પરિણામોને એક વખત એક ડિજિટલ સિગ્નલ રિડ કરી શકે છે. જેને સ્માર્ટફોન એપ દ્વારા વાંચી શકાય છે અને પહેરનાર પોતાનું રિઝલ્ટ પોતાના ફોનમાં જોઈ શકે છે. હવે વૈજ્ઞાનિક Maskનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે કોઈ નિર્માતાની શોધ કરી રહ્યા છે.
ઓછી કિંમતમાં મળશે આ Mask
રિસર્ચના લેખક પીટર ગુયેનને કહ્યું કે અમે જરૂરીયાત પ્રમાણે એક ઈન્ટ્રી ડાયગ્નોસ્ટિક લેબોરેટ્રીને એક નાના સિંથેટિક જીવ વિજ્ઞાન-આધારિત સેન્સરમાં નાનુ કર્યું છે. જે કોઈ પણ ફેસ Mask સાથે કામ કરે છે.
અને એન્ટીજન ટેસ્ટની ગતિ અને ઓછી રકમની સાથે પીસીઆર ટેસ્ટની ઉચ્ચ સટીકતાને જોડે છે.
Mask પહેરનારના શ્વાસમાં SARS-CoV-2ની જાણકારી મેળવવા માટે બાયોસેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોસેન્સર આવા ઉપકરણો છે જે બાયોમોલેક્યુલની જાણકારી મેળવવા માટે સિંથેટિક જીવ વિજ્ઞાન પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે.
જોકે આ પ્રકારનું Mask જેમાં સેલ અને પાણી શામેલ છે તેને પહેરવા યોગ્ય બનાવવાું અથવા ફિટ કરવાનું જોખમ છે પરંતુ વૈજ્ઞાનિકોની ટીમે પહેરવા યોગ્ય ફ્રીઝ-ડ્રાય સેલ-ફ્રી ટેક્નિકનો ઉપયોગ કર્યો છે.
કઈ રીતે કરે છે કામ?
સીરીઝની પહેલી પ્રતિક્રિયા આરએનએ સુધી પહોંચવા માટે કોરોના વાયરસની પરતને ખોલે છે. બીજી પ્રતિક્રિયા જરૂરી નમૂનાઓનું ઉત્પાદન કરવા માટે વાયરલ આરએનએની ઘણી નકલો બનાવે છે. ત્રીજી પ્રતિક્રિયા સ્પાઈક જીવ અણુઓની શોધ કરે છે અને
જો આ ટેસ્ટ પટ્ટી પર એક મળે છે તો તેને બે નાના ટુકડાઓમાં કાપી દે છે. અંતિમ ચરણમાં જો કાપવા માટે કોઈ સ્પાઈક ટુકડો નથી તો પરીક્ષણનું પરિણામ એ છે કે SARS-CoV-2 પહેરનારાના શ્વાસમાં હાજર નથી.
આ સમાચાર વાંચવા માટે ક્લિક કરો….