Vodafone, Ideaના 15 કરોડ યુઝર્સ 2G વાપરનારા: કંપનીના બંધ થવાથી 4જી ફોનની ખરીદી અને નેટનો વધુ ખર્ચ ભોગવવો પડશે!!
એક સમયે ઇન્ટરનેટ પર જમાવટ કરનારી ! કંપની Vodafone ‘Jioના લોન મેકિંગ બિઝનેશ’થી આજે મરણ પથારીએ
ટેલિકોમ ક્ષેત્રે જ્યારથી Jioએ પર્દાપણ કર્યું છે ત્યારથી Vodafone, Airtel જેવી ટોચની ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. Jioથી ટેલિકોમ ક્ષેત્રે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તીવ્ર હરીફાઈ ઉભી થઈ છે. જો કે આ સામે Vodafone અને Idea ટકી ન શકતા બંનેનું મર્જર થયું હતું. પરંતુ એકલા Jio સામે પણ હાલ પણ ટક્કર એક મુસીબત બનતા Vodafone-Ideaનું વિસર્જન નજીક છે. કરોડો રૂપિયાના દેવામાં ફસાયેલી Vodafone-Ideaનું વિસર્જન થશે તો ગ્રાહકોનું શું થશે..?? યૂઝર્સ પણ વિચારતા હશે કે હવે ક્યારથી અને કઈ કંપનીના સિમ, નેટ વાપરવું..??
એક Idea જો દુનિયા બદલ દે. લોસ મેકિંગ બિઝનેશના Jioના Ideaથી ટેલિકોમ ક્ષેત્રની દુનિયા બદલાઈ છે પણ આ સાથે Vodafone Ideaને ડુબાડી દીધી છે. એક સમયે Vodafone કે જેની મુખ્ય આવકનો સ્ત્રોત ઈન્ટરનેટ હતો. ઇન્સ્ટનેટમાં Vodafoneની જમાવટ હતી. એટલે જ તો ગ્રાહકો પ્રીમિયમ વાઉચર થકી પણ Vodafoneનું નેટ વાપરતા પણ Jioએ આખી બાજી બદલી નાખી..!! Vodafoneની જે તાકાત હતી તે પર ઘા કરી લોસ મેકિંગ બિઝનેશ સ્ટ્રેટેજી અપનાવી. આવતા વેંત’જ ગ્રાહકોને નજીવા દરે નેટ અને સાવ મફતમાં કોલિંગની સુવિધા પૂરી પાડી.
Vodafone, Idea, BSNL જેવી કંપનીઓને પોસાય નહીં તેવા દરે સેવા આપી Jioએ ગ્રાહકોને આકર્ષ્યા, અને પછી એક વર્ગ ઉભો કર્યા બાદ ચાર્જીસ વધારી દીધા. શરૂઆતના તબક્કામાં પોસાય નહીં તેવા ભાવે સેવા આપી અને પછી વ્યાજ સહિત વસુલવું. આજ તો છે Jioની લોસ મેકિંગ બિઝનેશ સ્ટ્રેટેજી..!! હવે આગામી સમયમાં Vodafone-Idea (વિઆઈ)નું વિસર્જન હજુ પણ Jioને વધુ માલામાલ બનાવશે. તો બીજી તરફ VIના મૃત્યુ ઘંટથી આશરે 27 કરોડ ગ્રાહકોને માટે મોટી મુશ્કેલી ઉભી થશે. એમાં પણ VIના 15 કરોડ જેટલા એવા ગ્રાહકો છે જે વિઆઈની 2જી સર્વિસ વપરાશકર્તા છે. હવે VIના વિસર્જનથી જો આ ગ્રાહકોએ Jioમાં જોડાવું હશે તો સૌ પ્રથમ તેંઓએ 4જી ફોનની ખરીદી કરવી પડશે. કારણ કે 2જી સેવા Jio નથી આપતું.
2જી વાપરનારા 15 કરોડ ગ્રાહકોમાંથી મોટાભાગના તો મજદૂર છે. જેઓએ 4જી ફોન ખરીદવા મજબુર થવું પડશે આ ઉપરાંત અન્ય ગ્રાહકો પર નેટ ખર્ચનો વધારાનો બોજો પણ ઉભો થશે. Vodafone Ideaએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી સમીક્ષા અરજીમાં કહ્યું છે કે જો તે નાદાર થઈ જશે તો તેના 27 કરોડથી વધુ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાશે. આમાંથી, 119 મિલિયન વાયરલેસ બ્રોડબેન્ડ અથવા 3જી/4જી સબ્સ્ક્રાઇબર્સ છે જ્યારે બાકીના 2જી સબ્સ્ક્રાઇબર્સ છે. ઉદ્યોગના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે જો Vodafone Ideaને બંધ કરવામાં આવે તો Airtel ટેરિફમાં વધારો કરશે જેથી જે લોકો તેની સેવા માટે ચૂકવણી કરી શકે તે જ તેના નેટવર્ક પર આવે. મોટાભાગના 2G ગ્રાહકો દૈનિક વેતન કામદારો છે જે ઓછી ગુણવત્તાવાળા ફોનનો ઉપયોગ કરે છે. આ નેટવર્કની ગુણવત્તાને અસર કરે છે.
ટેલીકોમ ક્ષેત્રે BSNL/MTNL પણ માંદગીના બીછાને..!
આગામી સમયમાં Jio-Airtel પણ ‘ભળી’ જશે??
હાલ, મરહર બાદ પણ Vodafone-Idea ટકી શકી નહીં. આશરે 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. હવે આ કંપનીનું પણ વિસર્જન થવાથી ટેલિકોમ ક્ષેત્રે સરકારી કંપની BSNL, એમટીએનએલ, Jio અને Airtel જેવી કંપનીઓ રહેશે. એમાં પણ ટેલિકોમ ક્ષેત્ર પર મોટાભાગનું પોતાનું વર્ચસ્વ ધરાવનારી માત્ર Jio અને Airtel જ છે. બીએસ એનએલ અને એમટીએનએલ તો આમય માંદગીના બિછાને છે. જેમ કોકકોલાએ થમ્સઅપને ગળી તેમ ટેલિકોમ ક્ષેત્રમાં આગામી સમયમાં Jio અને Airtel પણ ભળી જાય તેવી શકયતા છે.
આવી રહ્યો છે Jio નો સૌથી સસ્તો એન્ડ્રોઇડ ફોન – Jio Next Phone
VIનું વિસર્જન Jio અને Airtelને માલામાલ કરી દેશે !!
ટેલિકોમ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, Vodafone Idea ના કુલ 27 કરોડ વપરાશકર્તાઓ છે. જેમાં 20 કરોડ પોસ્ટપેડ અને 25 કરોડ પ્રીપેડ યુઝર્સ છે. કંપની બંધ થવાની સ્થિતિમાં ગ્રાહકોને Jio અને Airtel અથવા BSNL તરફ વળવું પડશે. જો કે, પોસ્ટપેડ નેટવર્કમાં જિયોની સ્થિતિ થોડી નબળી છે. આવી સ્થિતિમાં, વિઆઈના પોસ્ટપેડ ગ્રાહકો Airtel તરફ વળશે. બીજી બાજુ, ગૂગલ સાથે મળી રિલાયન્સ Jioએ બનાવેલ Jioફોન નેક્સ્ટ લોન્ચ થવાને કારણે, પ્રીપેડ ગ્રાહકોનો ટ્રેન્ડ Jio તરફ રહેશે.
Vodafone- Idea બંધ થવાના કારણે Airtel અને Jioને મોટો ફાયદો થશે. આનું કારણ એ છે કે માત્ર આ બે કંપનીઓને જ VIમાંથી આવક મળશે. વિઆઈને એક પ્રીપેડ ગ્રાહક દીઠ સરેરાશ 109 રૂપિયાની કમાણી થાય છે. જ્યારે કંપની પોસ્ટપેડ ગ્રાહકો પાસેથી સરેરાશ 350 રૂપિયા મેળવે છે. આવી સ્થિતિમાં Airtel અને જિયોની આવકમાં લગભગ 20 હજાર કરોડનો વધારો થઈ શકે છે.