આ મહિનાથી ઘણી રોજિંદી વસ્તુઓ બદલાવા જઈ રહી છે. આ ફેરફારો સામાન્ય માણસના જીવન સાથે સંબંધિત છે. તેમાં બેન્કિંગ નિયમોથી લઈને એલપીજી સહિત ઘણા ફેરફારનો સમાવેશ થાય છે. ચાલો તમને જણાવીએ કે કયા Bank માં ફેરફારો થવા જઈ રહ્યા છે-
ચેક બુકમાં થશે ફેરફાર
1 ઓક્ટોબરથી ત્રણ બેન્કોની ચેકબુક અને MICR કોડ અમાન્ય થઈ જશે. આ બેન્કો ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC), યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેન્ક છે. તમને જણાવી દઈએ કે આ બેન્કો એવી છે જે તાજેતરમાં અન્ય Bank માં મર્જ થઈ છે. Bankના વિલીનીકરણને કારણે, 1 ઓક્ટોબર, 2021 થી ખાતાધારકોના ખાતા નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે, બેન્કિંગ સિસ્ટમ જૂનો ચેક રિજેક્ટ કરી દેશે. આ Bankની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે.
ઓટો પેમેન્ટ માટે પણ ફેરફાર
1 ઓક્ટોબરથી રિઝર્વ Bank ઓફ ઇન્ડિયા (RBI) પેમેન્ટ સિસ્ટમમાં મોટા ફેરફાર કરી શકે છે. RBI ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમના નિયમોને પહેલા કરતા વધારે સુરક્ષિત કરી શકે છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ જેમ કે બેન્કો અને મોબાઇલ વોલેટ્સ જેમ કે પેટીએમ, ફોનપે, ફ્રીચાર્જ પર નિયમોની અસર પડશે. હવે દરેક વખતે હપ્તા અથવા બિલ પેમેન્ટ માટે, તેઓએ પહેલા યુઝર્સ અથવા ગ્રાહક પાસેથી પરવાનગી લેવી પડશે. RBI એ કહ્યું છે કે ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અથવા અન્ય પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) નો ઉપયોગ કરીને રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) ની જરૂર પડશે અને આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવી શકે છે.
અત્યાર સુધી, બેન્કો અને મોબાઇલ વોલેટ્સ ઓટોમેટિક એકાઉન્ટમાંથી નિયત તારીખે પૈસા કાપી લેતા હતા અને તેનો ગ્રાહકને એસએમએસ આવતો હતો. હવે આવું થશે નહીં. હવે ઓટો ડેબિટ અથવા કાપેલા હપ્તા અથવા બિલની પેમેન્ટનો મેસેજ પહેલા આવશે. દરેક વખતે Bank અને મોબાઈલ વોલેટને તેની પરવાનગી લેવી પડશે. તેઓએ તેમની સિસ્ટમમાં ફેરફાર કરવા પડશે અને જ્યારે પણ તેમને પરવાનગી મળશે, તે પછી પૈસા કપાશે. તે હવે ઓટોમેટિક પૈસા નહી કાપી શકે.
સિલેન્ડરના ભાવ
1 ઓક્ટોબરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરોના નવા ભાવ નક્કી થાય છે.
ફાટેલી ચલણી નોટ સ્વીકારવાનો બેંક ઇન્કાર કરે છે ? જાણો RBI નો આ નિયમ
FSSAI રજીસ્ટ્રેશન નંબર લખવો જરૂરી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIએ 1 ઓક્ટોબર સુધી ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલી તમામ દુકાનદારોને રજીસ્ટ્રેશન કરવાના આદેશ આપ્યા છે. ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલા દુકાનદારોને વસ્તુના બિલ પર FSSAI રજીસ્ટ્રેશન નંબર લખવો ફરજિયાત કરી દેવામાં આવશે.
પેન્શન નિયમ
1 ઓક્ટોબરથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમો બદલાઇ રહ્યા છે. હવે દેશના તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે તેઓ દેશની તમામ હેડ પોસ્ટ ઓફિસોના જીવન પ્રણાલી સેન્ટરમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકશે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાનું કામ પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ થવાનું છે. તેથી, ભારતીય ટપાલ વિભાગે જીવન પ્રમાણપત્ર કેન્દ્રની ID પહેલાથી બંધ હોય તો સમયસર એક્ટિવ થાય તે સુનિશ્વિત કરવા જણાવ્યું છે.