ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે કામના સમાચાર છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો Railway દ્વારા આપવામાં આવેલી ચેતવણી ચોક્કસપણે જાણી લો. ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરીને લઈને મુસાફરો માટે એલર્ટ જાહેર કર્યું છે. તહેવારોની સિઝનમાં ટ્રેનમાં ભીડ વધી રહી છે. ટ્રેનમાં આગ કે અકસ્માતોની વધતી જતી સંખ્યાને જોતા Railwayએ મુસાફરો માટે સત્તાવાર સૂચના જારી કરી છે. મુસાફરોની સુવિધા અને સલામતી માટે Railwayએ આ કડકાઈ દાખવી છે.
Railwayએ કહી આ વાત
Railwayએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. રેલ્વેએ એક ટ્વીટમાં કહ્યું છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન યાત્રીઓએ પોતાની સાથે કોઈ જ્વલનશીલ સામગ્રી લઈ ન જવી અને ન તો કોઇને લઇ જવા દેવી. તે દંડનીય અપરાધ છે. આમ કરવાથી કાનૂની કાર્યવાહીની સાથે જેલ પણ થઈ શકે છે. પશ્ચિમ મધ્ય Railway અનુસાર, ટ્રેનમાં આગ ફેલાવવી અથવા જ્વલનશીલ વસ્તુઓ સાથે લઇ જવી એ Railway એક્ટ, 1989ની કલમ 164 હેઠળ દંડનીય અપરાધ છે.
આ અંતર્ગત આ વસ્તુઓ સાથે પકડાયેલ વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. કેરોસીન, પેટ્રોલ, ફટાકડા અને ગેસ સિલિન્ડર વગેરે જેવી જ્વલનશીલ સામગ્રી સાથે ન રાખો, અથવા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈને પણ તેને લઈ જવાની મંજૂરી આપશો નહીં, તે દંડપાત્ર ગુનો છે.
આ વસ્તુઓ પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ
Railwayના ટ્વીટ પ્રમાણે, હવે મુસાફરો કેરોસીન, સૂકું ઘાસ, સ્ટવ, પેટ્રોલ, કેરોસીન, ગેસ સિલિન્ડર, માચીસ, ફટાકડા કે ટ્રેનના ડબ્બામાં આગ ફેલાવતી કોઈપણ વસ્તુ સાથે મુસાફરી કરી શકશે નહીં. મુસાફરોની મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે Railwayએ આ કડકતા દાખવી છે. આ માટે Railway એ મુસાફરોને કડક ચેતવણી આપી છે.
નવો નિયમ : Traffic નિયમ તોડવા પર આપનો રેકોર્ડ ગુપ્ત રાખવામાં આવશે અને તમને 15 દિવસમાં નોટીસ મળી જશે
Railway પરિસરમાં ધૂમ્રપાન કરવું ગુનો
આ સિવાય રેલ્વે દ્વારા આગની ઘટનાઓને કાબૂમાં લેવા માટે બનાવેલી યોજના હેઠળ જો કોઈ ટ્રેનમાં ધૂમ્રપાન કરતા પકડાય છે તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય દંડ પણ ભરવો પડી શકે છે. રેલ્વે પરિસરમાં સિગારેટ/બીડી પીવી એ પણ સજાપાત્ર ગુનો છે.