Wednesday, July 9, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

સૌ પ્રથમ Shree Somnath Temple ના ‘‘ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્ય’’નો પ્રારંભ

3-Way Digital CAVE VRના માધ્યમથી શ્રદ્ધાળુઓ ઘરે બેઠા સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યાની અનુભૂતિ કરી શકશે

September 21, 2021
in Good News, Gujarat
468
Somnath Mahadev

Somnath Mahadev

29
SHARES
3.3k
VIEWS

આગામી સમયમાં Somnath મંદિરને ઘરે બેઠા 3D વ્યુમાં નિહાળીને દર્શન કરી શકાશે: 3-Way Digital CAVE VRના માધ્યમથી શ્રદ્ધાળુઓ ઘરે બેઠા સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યાની અનુભૂતિ કરી શકશે: એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે

અમદાવાદ :ભારતના ૧૨ જર્યોર્તિલિંગમાંના પ્રથમ એવા Shree Somnath Templeને આગામી સમયમાં ઘરે બેઠા 3D વ્યુમાં નિહાળીને દર્શન કરી શકાશે. આ સિવાય 3-Way Digital CAVE VRના માધ્યમથી શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બેઠા સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યાની અનુભૂતિ કરી શકશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરની અદ્વિતીય સ્થાપત્ય કલાનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સીધા માર્ગદર્શનમાં “શ્રી સોમનાથ ટ્રસ્ટ” અને “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ”ના સંયુક્ત પ્રયાસથી ‘વિનાશ પર નિર્માણના પ્રતીક સમાન’ પ્રભાસ પાટણ સ્થિત “Shree Somnath Temple” ના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ વિશેષ ટેક્નોલોજી બિલ્ડીંગ ઈન્ફોર્મેશન મોડલ(BIM) પર આધારિત છે. જેનો ઉપયોગ સંવર્ધન અને પુન: સ્થાપનાની પ્રક્રિયા માટે થઈ શકે છે. આ 3D મોડલ ડિજિટલ મ્યુઝિયમ, વર્ચ્યુઅલ એક્ઝિબીશન, રિસર્ચ, ડિજિટલ પ્રમોશન અને જાળવણી માટે અતિઉપયોગી સાબિત થશે અને જો ભવિષ્યમાં જરૂર ઊભી થાય તો, આ 3D પ્રિન્ટેડ મોડલથી સ્ટ્રક્ચરની પ્રતિકૃતિ સરળતાથી તૈયાર થઈ શકે છે. પેરિસના ‘‘નોટ્રે ડેમ કેથેડ્રલ’’માં આગના બનાવ બાદ તેનું પુનઃ નિર્માણ શક્ય બનવું તે આ ટેક્નોલોજીને જ આભારી છે.

વધુમાં લેટેસ્ટ ટેક્નોલોજીથી એકત્રિત કરેલા ડેટાથી ઓગમેન્ટેડરિયાલિટી (AR) સાથે માહિતીપ્રદ એપ ( App ), વર્ચુઅલરિયાલિટી ( VR ) આધારિત વોકથ્રુએપ (App), 360° વર્ચુઅલ ટૂર અને હાઈ-ક્વોલિટી વીડિયો આઉટપુટ બનાવવામાં આવશે. કોરોના જેવી મહામારીની સ્થિતિમાં ઘરે બેઠેલા લોકો સીધા કનેક્ટ થઈ શકે છે અને પવિત્ર દેવસ્થાનના દર્શન કરી, મંદિરને 3D વ્યુમાં નિહાળી શકશે. નવા તૈયાર કરવામાં આવનાર ડિજિટલ પ્રોજેક્ટની માહિતી અને વીડિયોનો લોકો સીધો જ ઉપયોગ કરી શકશે અને તેના પરિણામે “Shree Somnath Temple” વિશે ભારતભરના શ્રદ્ધાળુઓમાં રુચિ વધશે અને મંદિરની પ્રત્યેક માહિતીથી અવગત થશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

આ ઉપરાંત, રાજ્ય સરકાર દર્શનાર્થીઓ માટે એક આગવી 3-Way Digital CAVE VRનું નિર્માણ કરવા જઈ રહી છે. જેમાં એડવાન્સ ટેક્નોલોજી અને પ્રોજેક્ટર્સની મદદથી કોઈપણ વ્યક્તિ સ્વયં”Shree Somnath Temple” પરિસરમાં પ્રવેશ કરી, પોતે ફરી રહ્યો છે તેવી અનુભૂતિ કરી શકશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ ડિજિટલ મ્યુઝિયમ, એરપોર્ટ, એક્ઝિબીશનમાં પણ કરવામાં આવશે. જેથી વધુને વધુ ભક્તો-લોકો “Shree Somnath Temple” વિશે માહિતગાર થશે.

વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ શ્રેષ્ઠ ટેક્નોલોજીના ઉપયોગ સાથે, “શ્રી સોમનાથ ટ્રસ્ટ” અને “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ” સંયુક્ત રીતે મળીને ગુજરાતમાં સૌ પ્રથમ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે જે આવનારા ભવિષ્યમાં “Shree Somnath Temple”ની અને ગુજરાતની શાનમાં વધુ વધારો કરશે.

Sarangpur કષ્ટભંજન દાદા નો રહસ્યમય ઈતિહાસ, જાણો મૂર્તિની અજાણી વાતો

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરના હજારો મંદિરમાંથી ભગવાન શિવનું ગુજરાતના દરીયાકાંઠે આવેલું ‘Shree Somnath Temple’ વિશેષ મહત્વ ધરાવે છે અને તે સર્વોત્તમ મંદિરોમાંનું એક છે.

ઇતિહાસમાં અનેક કુદરતી આફતો અને વિદેશી આક્રમણોમાં થયેલ તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ પછી પણ અદ્વિતીય સ્થાપત્ય કલાના નમૂના સમાન આ મંદિર અડીખમ રહ્યું. સમયાંતરે હિન્દુ રાજાઓએ આ તિર્થસ્થાનનો જીર્ણોદ્ધાર કર્યો અને મંદિરના મૂળ સ્વરૂપને જાળવી રાખ્યું. ત્યારબાદ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તથા એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે આ પૌરાણિક જ્યોતિર્લિંગના મૂળ સ્થાને જ મંદિરનું પુનઃનિર્માણ કરવાનું બીડું ઝડપ્યું અને તા.11 મે,1951ના રોજ ચાલુક્ય શૈલીથી તૈયાર થયેલ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે પણ આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદષ્ટીને પરિણામ સ્વરૂપે આ સોમનાથ મંદિર તીર્થનો સતત વિકાસ થઇ રહ્યો છે તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Previous Post

વીજળીનો Electric shock લાગે તો તરત કરો આ ઉપાય, બચી જશે જીવ

Next Post

Maa Vatsalya Card ને લઈને મોટા સમાચાર, આરોગ્યમંત્રી એ જાણો શું કરી જાહેરાત

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Patanjali Group
Good News

Baba Ramdev એ આગામી 5 વર્ષમાં Patanjali Group માટે ₹1 લાખ કરોડ અને Patanjali Foods નું ₹50,000 કરોડ ના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે

June 16, 2023
Next Post
Maa Vatsalay Card

Maa Vatsalya Card ને લઈને મોટા સમાચાર, આરોગ્યમંત્રી એ જાણો શું કરી જાહેરાત

Steps

લાંબુ જીવવું હોય તો ચાલવાનું રાખો, રીસર્ચમાં કરાયેલો દાવો, વધુ જાણો.....

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News