Monday, July 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Gujarat

Donation – મંદિરોમાં ભક્તોનો પ્રવાહ વધતા દાનપેટીઓ છલકાઈ…

અંબાજીમાં કોરોના પૂર્વે સાપ્તાહિક Donation રૂ.૩૦ લાખ હતું હવે થઇ ગયું ૪૦ લાખઃ ડાકોરમાં જુલાઇમાં જ ૧ કરોડનું Donation આવ્યું.

August 20, 2021
in Gujarat, India
456
Donation

Donation

35
SHARES
3.6k
VIEWS

ગુજરાતના ચાર પ્રસિધ્ધ મંદિરોઃ યાત્રાધામ સોમનાથ–દ્વારકા–ડાકોર–અંબાજીમાં આવતું Donation કોરોના પહેલાની સ્થિતિમાં પહોંચ્યું : અંબાજીમાં કોરોના પૂર્વે સાપ્તાહિક Donation રૂ.૩૦ લાખ હતું હવે થઇ ગયું ૪૦ લાખઃ ડાકોરમાં જુલાઇમાં જ ૧ કરોડનું Donation આવ્યું: દ્વારકામાં આ મહિને રૂ.૬.૨૩ લાખનું Donation મળ્યું.

નવી દિલ્હી, તા.૨૭: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓછી થતાં જ લોકો ભગવાનના શરણે જઈ રહ્યા છે. આ ઘાતક બીજી લહેરમાં પોતે બચી ગયા હોવાનો આભાર માનતા લોકો પોતપોતાની શ્રદ્ઘા મુજબ Donation ધર્મ કરી રહ્યા છે. ગુજરાતના પ્રમુખ યાત્રાધામોની Donation પેટીઓ શ્રદ્ઘાળુઓ દ્વારા કરવામાં આવતાં Donationથી છલકાઈ ગઈ છે.

રાજયમાં કોરોના કેસ ઓછાં થતાં લોકડાઉન અને કર્ફ્યુના નિયમોમાં ઢીલાશ આપવામાં આવી છે. જેના કારણે કોરોના મહામારીમાં જે મંદિરોમાં આવક ખૂબ જ ઓછી થઈ ગઈ હતી ત્યાં હવે ફરી એકવાર શ્રદ્ઘાળુઓના ટોળા જોવા મળી રહ્યા છે. સોમનાથ જયોતિર્લિંગ મંદિર હોય કે દ્વારકાધિશનું મંદિર તેમજ અંબાજીનું મંદિર હોય કે ડાકોરમાં આવેલું રણછોડરાયનું મંદિર દરેક જગ્યાએ Donation ધર્માદાની આવક ફરી એકવાર કોરોના આવ્યો તે પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.

આશ્ચર્યની વાત છે કે અંબાજી મંદિરમાં તો છેલ્લા બે મહિનામાં ભાવિકોના ધસારામાં એટલો વધારો થયો છે કે Donationની આવક કોરોના આવ્યો તે પહેલાના સ્તરને પણ પાર કરી ગઈ છે. શ્રી આરાસુરી અમ્બાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના એકાઉન્ટ ઓફિસર શિવજીભાઈ પ્રજાપતિએ કહ્યું કે, ‘હાલના સમયમાં સરેરાશ સાપ્તાહિક Donationની આવક રુ. ૪૦ લાખ પહોંચી ગઈ છે જે કોરોના પહેલા રુ ૩૦ લાખ આસપાસ રહેતી હતી.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘માસિક સરેરાશ આવક પણ રુ. ૨ કરોડને આંબી રહી છે જે કોરોના પહેલા દોઢ કરોડ રુપિયા આસપાસ રહેતી હતી. આ Donationની આવકમાં ઓનલાઈન Donationની આવકનો પણ સમાવેશ છે. તો મંદિરમાં શ્રદ્ઘાળુઓની સંખ્યા પણ કોરોના આવ્યો તે પહેલના સ્તરે પહોંચી ગઈ છે.’

ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર એસ જે ચાવડાએ કહ્યું કે મંદિરમાં દૈનિક ફૂટફોલ ૧૨ હજારની આસપાસ પહોંચી ગયો છે. તેમાં પણ વીકેન્ડમાં આ સંખ્યાં ૩૦-૩૫ હજાર આસપાસ થઈ જાય છે. જોકે રાજયના ચાર પ્રખ્યાત મંદિરોમાં ભકતો તરફથી મળેલા Donationમાં ગત વર્ષની તુલનામાં ૨૦૨૦-૨૧ દરમિયાન સરેરાશ ૩૭% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. જયારે આ મંદિરોની વ્યકિતગત આવક અંગે હિસાબ કરવામાં આવે તો આ ઘટાડો ૨૦% થી ૫૫્રુ ની વચ્ચે હતો. ૨૦૧૯-૨૦૨૦ માં થયેલી આવક રુ ૧૧૯.૩૫ કરોડથી ઘટીને ૨૦૨૦-૨૧માં રુ. ૭૪.૯૧ કરોડ થઈ ગઈ છે. જો કે, હવે સ્તિથિ આગળ સુધરી રહી છે.

50 હજારની કમાણી દર મહીને, સરકારની મદદથી શરૂ કરો આ ધંધો

Donationમાં વધારા સાથે, ડાકોર મંદિર કે જયાં દર વર્ષે જન્માષ્ટમી પર વિશાળ મેળો ભરાય છે – આ વર્ષે પણ મુલાકાતીઓનો ધસારો થવાની શકયતા છે. તહેવારના સમયગાળા દરમિયાન ૨૦૧૯ માં લગભગ ૧.૭૫ લાખ ભકતોએ મંદિરની મુલાકાત લીધી હતી. ‘જુલાઈ ૨૦૧૯ માં મંદિરને મળેલ Donation આશરે ૧ કરોડ રુપિયા હતું. અમને આ જુલાઈમાં પણ એવું જ પરિણામ મળશે તેવી અપેક્ષા છે.’ તેમ ડાકોર મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક મહિનામાં સોમનાથ મંદિરમાં સરેરાશ માસિક Donationમાં પણ વધારો થયો છે અને રુપિયા ૨.૫ કરોડને પહોંચી ગયું છે. લોકડાઉન પહેલાં મહિનામાં લગભગ ૫ કરોડ રુપિયા Donation આવતું હતું. મહામારીને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટની આવકમાં મોટો ઘટાડો થયો છે. તુલના કરીએ તો ૨૦૧૯-૨૦૨૦માં રુ. ૪૪ કરોડ Donationની આવક પેટે મળ્યા હતા જેના સાપેક્ષમાં ૨૦૨૦-૨૧માં માત્ર ૨૦.૨૪ કરોડ રુપિયા Donationમાં આવ્યા હતા.

સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘હવે, દૈનિક શ્રદ્ઘાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અમે દરરોજ લગભગ ૭,૦૦૦-૮,૦૦૦ ભકતો જોઈ રહ્યા છીએ. ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે ફરી એકવાર મંદિરમાં કોવિડ પહેલાં જેમ દિવસ દીઠ ૧૨,૦૦૦ શ્રદ્ઘાળુઓ આવતાં હતા તે સંખ્યા સુધી પહોંચશે. વીકેન્ડમાં આ સંખ્યા વધીને ૧૫,૦૦૦ જેટલી થાય છે. પરંતુ અમને આશા છે કે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂ આત આગામી કેટલાક દિવસોમાં થશે. ત્યારે શ્રદ્ઘાળુઓની સંખ્યામાં મોટો વધારો થશે.

મહામારી ફાટી નીકળી તે પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીમાં ૨ લાખથી વધુ લોકો પવિત્ર મંદિરની મુલાકાત લેતા હતા. તેમ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે ‘જૂનમાં મંદિરને શ્રદ્ઘાળુઓ તરફથી Donation પેટે આશરે ૬.૭ લાખ રુપિયા મળ્યા હતા, જયારે જુલાઈમાં અત્યાર સુધીમાં ભકતો તરફથી રુ. ૬.૨૩ લાખ મળ્યા છે. જોકે હવે દૈનિક શ્રદ્ઘાળુઓની સંખ્યા વધી રહી છે. હાલમાં દરરોજ લગભગ ૭,૦૦૦-૮,૦૦૦ શ્રદ્ઘાળુઓ મંદિરની મુલાકાત લે છે. જોકે વીકેન્ડમાં આ સંખ્યા લગભગ ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ જેટલી થઈ જાય છે.’

Previous Post

ભારતને આગામી દિવસોમાં મળી શકે છે Warm Vaccine, આ Vaccine વિશે વધુ જાણો….

Next Post

India – Shrilanka ના મેચ માં બની આવી ઘટના કે સર્વે ક્રિકેટપ્રેમીઓ ના દિલ જીતી લીધા જાણો તે ઘટના…

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
Next Post
Chamika Karunaratne

India - Shrilanka ના મેચ માં બની આવી ઘટના કે સર્વે ક્રિકેટપ્રેમીઓ ના દિલ જીતી લીધા જાણો તે ઘટના...

Lezer

માત્ર ૫૦ મિલી સેકન્ડમાં કોરોના નાબુદ, Italy ના વૈજ્ઞાનીકે બનાવ્યું Leasure મશીન

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News