Saturday, May 24, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Gujarat

આજે Gujarat નો 61 મો સ્થાપના દિવસ છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. “જય જય ગરવી ગુજરાત” ચાલો જાણીએ ઈતિહાસ અને વર્તમાન

આજે Gujarat નો 61મો સ્થાપના દિવસ છે.

May 25, 2021
in Gujarat, India, Knowledge
1.8k
આજે Gujarat નો 61 મો સ્થાપના દિવસ છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. “જય જય ગરવી ગુજરાત” ચાલો જાણીએ ઈતિહાસ અને વર્તમાન
800
SHARES
2.3k
VIEWS

1 મે, 1960 ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે Gujarati(ગુજરાતી) બોલતા લોકો માટે Gujarat અને Marathi(મરાઠી) બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચના ‘સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956’ના આધારે કરવામાં આવી હતી. ભારત દેશ ને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી એટલે કે એક ગુજરાતી હતા. આઝાદી પછી દેશી રજવાડાઓનો વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. અત્યારે દેશ ના પ્રધાન મંત્રી મોદી પણ આપણા ગુજરાતી જ છે. અને પ્રધાનમંત્રી બનતા પહેલાં તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ ગુજરાતના છે. આજે વિશ્વભરમાં અનેક જગ્યાએ ગુજરાતીઓ પોતાનો ડંકો વગાડી રહ્યાં છે.

આજે આખા ભારત દેશ માં ગુજરાત એક વિકાસ ના મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. દેશ વિદેશ માં વેપાર માટે Gujarati(ગુજરાતી) લોકો પ્રખ્યાત છે. ભારતના ખૂણે-ખૂણે નહીં પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે.

મહા ગુજરાત આંદોલન અને ખાંભી સત્યાગ્રહ
ગુજરાતની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. ૧૯૫૬માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકાએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને ‘મહાગુજરાત આંદોલન’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.

૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હતા, પણ સામે રાઈફલ હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર માં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીની નેતાગીરીને તમાચો માર્યો. ઈન્દુલાલ યાજ્ઞિક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી ચિંતિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનના ઓટલા ઉપર જ શહીદ સ્મારક બનાવાની જાહેરાત કરી. જોશીલા યુવાનોને સ્મારકની કામગીરી સોંપાઈ. કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું. ૧૯૫૮ની ૭ ઓગસ્ટની રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલો ઓટલો તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮ ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી દેવાયું અને ફરી આંદોલન શરૂ કરાયું. આ સત્યાગ્રહને ‘ખાંભી સત્યાગ્રહ’ નામ આપવામાં આવ્યું. ૨૨૬ દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી.

અંતે સરકાર ને આંદોલનકારી સામે ઝુકવુ પડ્યું. બે વર્ષ સુધીના સંઘર્ષ પછી ૧૯૬૦માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનર્રચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્રની રચના કરાઈ.

આઝાદી પહેલાથી જ ગુજરાત રાજ્ય નો વિચાર હતો. ગુજરાતની રચના ભલે 1960માં થઈ હોય, પરંતુ તેનો વિચાર ‘કુમાર’ નામના એક સામયિકમાં 1928માં વહેતો થયો હતો. લેખક અને આઝાદીના લડવૈયા ક.મા.મુનશીએ ‘મહાગુજરાત’ વિચારને વહેતો મુક્યો હતો. 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. એ જ રીતે ગુજરાત રાજ્યનો પ્રથમ નકશો દેવશવજી પરમારે લખેલા ‘ઉથરીષ્ટ જાગરત’ નામની કવિતાના આગળના ભાગમાં જોવા મળ્યો હતો.

વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અને સૌથી ઊંચી મુર્તિ
ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. હાલમાં અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી ઊંચુ ક્રિકેટ સ્ટેડિયમ છે. તેમાં 1 લાખ 10 હજાર દર્શકોને બેસવાની ક્ષમતા છે. તો સરદાર વલ્લભભાઈ પટેલની નર્મદાના સાધુબેટ પર આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઉંચાઈ 181 મીટર છે.

ગુજરાત રાજ્યની વિશેષતાઓ
રાજધાનીઃ ગાંધીનગર
રાજ્યપાલઃ આચાર્ય દેવવ્રત
મુખ્યમંત્રીઃ વિજય રૂપાણી
નાયબ મુખ્યમંત્રીઃ નીતિન પટેલ
મુખ્ય શહેરોઃ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, મહેસાણા, આણંદ
જિલ્લાઃ 33, 18,000થી વધુ ગામડાં
લોકસભા બેઠકઃ 26
રાજ્યસભા બેઠકઃ 11
વિધાનસભા બેઠકઃ 182
વિસ્તારઃ 1.96 લાખ ચોરસ મીટર (ભારતના 6.19%)
વસતીઃ 6 કરોડથી વધુ
સમુદ્ર કિનારોઃ 1600 કિમી લાંબો (ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો)
એરપોર્ટઃ 11 (દેશમાં સૌથી વધુ) (અમદાવાદ, સુરત અને વડોદરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ)
વિદેશમાં ગુજરાતી વસતીઃ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને આફ્રિકા સહિતના દેશોમાં લગભગ 50 લાખ ગુજરાતીનો વસવાટ.
ગુજરાતી ભાષાઃ 5.90 કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે. વિશ્વમાં 26મી સૌથી વધુ બોલાતી સ્થાનિક ભાષા.
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
વિશ્વની સૌથી ઊંચી મુર્તિઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા

ગુજરાતના ધાર્મિક સ્થળો
ગુજરાત એક અનોખું અને અદ્વિતીય અને બેજોડ રાજ્ય છે. અહીંયા સોમેશ્વર મહાદેવ અને નાગેશ્વર મહાદેવ સતત ભક્તોની રક્ષા કરે છે. દરિયાના કિનારે બેઠેલાં ભગવાન દ્વારિકાધીશ ગુજરાતીઓને સાચવે છે. તો ચોટીલાના ડુંગર પર ચામુંડા મા, ગબ્બર પર આદ્યશક્તિ મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, કોટડામાં મા ચામુંડા આ તમામ માતાજી ડુંગર પર બીરાજીની પોતાના બાળકોની રક્ષા કરે છે.તો આ સાથે જ મોગલમા, ખોડીયારમા, જોગણીમા, પરબના પીર, સત દેવીદાસ, જલારામ બાપા, ડાકોરના ઠાકોર, શામળાજીના શામળીયા ભગવાન, શિવશક્તિ આ તમામ ભગવાન માતાજીમાં આસ્થા ધરાવતાં ગુજરાતીઓની તાસીર બેજોડ છે.

ગુજરાતે આપ્યા આ ક્રિકેટરો
ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, સલીમ દુરાની, અંશુમન ગાયકવાડ, વિકેટ કીપર તરીકે જાવેદ મિંયાદાદ જેવા બૅટ્સમેનને ચીડવનાર કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, અજય જાડેજા, પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ, યુસૂફ પઠાણ, અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલ ને હજુ પણ આવા ઘણા ખેલાડીઓ ના નામ બાકી રહી ગયા હોય તો કઈ ખોટું નથી.

ગુજરાત પોતે પિતાની એક નાની આત્મકથા માં ક્યે તો આમ ક્યે…….

“ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું.

હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું.

વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું.

હા. હું ગુજરાત છુ.!!!”

ગુજરાત સ્થાપના દિનની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જય જય ગરવી ગુજરાત.

Tags: Gujarat
Previous Post

શું તમે આ જાણો છો રંગીલા રાજકોટ વિશે, એક વો ભી દૌર થા, એક યે ભી દૌર હૈ

Next Post

ભારતમાં સ્થપાશે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ.

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
Next Post
ભારતમાં સ્થપાશે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ.

ભારતમાં સ્થપાશે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ.

જો બાઇડન : ભારતથી આવી રહેલા મુસાફરોને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે.

જો બાઇડન : ભારતથી આવી રહેલા મુસાફરોને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે.

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News