કોવિડ -19 સામેની લડતમાં ભારત ને ટેકો આપવા માટે 600 થી વધુ મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો ભારત મોકલવામાં આવશે, એમ યુકે સરકારે શનિવારે જણાવ્યું હતું.
ભારત સરકાર સાથે ચર્ચા કર્યા ત્યારબાદ બ્રિટિશ સરકારે ભારતને મદદ આપવાનો નિર્ણય કર્યો. રવિવારના વેન્ટિલેટર અને ઑક્સિજન કંન્સેંટ્રેટરનો પહેલો જથ્થો યુકેથી રવાના પણ થઈ ગયો છે, જે મંગળવાર સુધી દિલ્હી પહોંચી શકે છે
રોગચાળો શરૂ થયો ત્યારથી ભારતે આ અઠવાડિયે તેના સૌથી વધુ નવા દૈનિક કેસ અને મૃત્યુ નોંધ્યા છે અને ઓક્સિજનની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે. આ કારણે ભારતે અનેક દેશોની મદદ માંગી હતી. ભારત સરકાર સાથે વાતચીત બાદ રવિવારના યૂકેએ પહેલો જથ્થો રવાના કરી દીધો છે, જે મંગળવાર સવાર સુધી દિલ્હી પહોંચી જશે. ત્યારબાદ આ જ અઠવાડિયે યૂકેથી બીજા પણ લાઇફ સેવિંગ ઇક્વિપમેન્ટ્સ આવવાના છે.
ભારત માં કુલ 9 કન્ટેનર આવશે:
20 મેન્યુઅલ વેન્ટિલેટર્સ આવશે.
495 ઑક્સિજન કન્સેંટ્રેટર્સ આવશે.
120 નૉન-ઇન્વેસિવ વેન્ટિલેટર્સ આવશે.
અનેક દર્દીઓના જીવ બચાવવામાં આ ઉપકરણો મદદગાર સાબિત થશે.
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યું કે, કોરોના ની લડાઈમાં અમે એક દોસ્ત તરીકે ભારત ની સાથે ઉભા છીએ.