Saturday, May 24, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Gujarat

ગુજરાતમાં આવેલી વાવ અને તેના વિશેની રસપ્રદ માહિતી, જાણો…

અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવ (Vav)નું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે.

October 25, 2021
in Gujarat, Knowledge
326
Vav

Vav

16
SHARES
3.1k
VIEWS

ગુજરાત વાવ (Vav) એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવ (Vav)નું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે. ગુજરાતને દરેક ગામ અને શહેર કે પછી વિવિધ ભૂભાગોમાં આપણને ક્યાંકને ક્યાંક વાવ (Vav)નું નિર્માણ કરેલું જોવા મળી જશે.

બેનમૂન કલા કારિગરી સાથે તૈયાર કરવામાં આવેલી આ વાવ (Vav) ચોક્કસપણે પ્રવાસન આકર્ષણ સ્થળ બની જાય છે. ગુજરાતનનાં એવા અનેક જળ મંદિરો અર્થાત વાવ (Vav) અને કૂવાઓ અંગે આછેરી માહિતી પ્રાપ્ત થઇ છે. પણ આ જળમંદિરો જે પોતાની બેનમૂન કલા કારિગરીના કારણે તો જાણીતા જ છે. પરંતુ તેનો ઉપયોગ વિતેલા પ્રાચીન સમયમાં લોકોને પાણીની સમસ્યાથી દૂર કરવા અને લોકોની તરસ છિપાવવા માટે કરવામાં આવતો હતો.

હવે એ વાવની અલપઝલપ માહિતી

*રૂડીબાઇ વાવ
આ વાવ (Vav) અમદાવાદથી દૂર મહેસાણા જવાના માર્ગે આવેલી છે. આ વાવ (Vav)ને અસાધારણ રીતે શણગારવામાં આવી છે. વાવ (Vav)ના ગોખ પણ કોતરણીવાળા છે, જેમાં સમાજ જીવનની આછેરી ઝલક આપવામાં આવી છે. નવગ્રહ પલંગ પાણી કમળાકૃતિ વગેરે અનેક હિંદુ પ્રતિક કોતરવામાં આવ્યા છે !!!

*રાજબાઇ વાવ
આ વાવ (Vav) રામપુરા ખાતે આવેલી છે. સાયલાથી વઢવાણ તરફ જતી વેળા તમે આ વાવ (Vav)ને નિહાળી શકો છો. આ વાવ (Vav)નું નિર્માણ વિજયરાજ પરમારના વંશજ દ્વારા કરવામાં આવ્યું છે. આ વાવ (Vav) ૫૩.૮૫ મીટર લાંબીઅને ૪.૬૦ મીટર પહોળી છે. આ વાવ (Vav)માં તમે સક્કરપારા ભાત, ચૈત્યાંકન ભાત, અધોમુખી પલ્લવ, વેલભાત, કુડચલ ભાત જોઇ શકો છો. આ ઉપરાંત અનેક કળાકૃતિ અહીં દૃષ્ટિગોચર થઇ શકે છે.

*દાદા હરિની વાવ
આ વાવ (Vav) અમદાવાદ નજીક માતા ભવાનીની વાતથી થોડેક દૂર આવેલી છે. આ વાવ (Vav)ને મહમૂદ બેગડાના અંતઃપુરની સર્વાધિકારિણી હરીર નામની બાઇ દ્વારા બંધાવવામાં આવી હતી. વાવ (Vav)ની લંબાઇ ૨૪૧.૫ ફૂટ છે. આ વાવ (Vav)ના મંડપ ઉંચા નથી. થાંભલા પણ સાદા છે, પરંતુ વાવ (Vav)માં કોતરણી વિશેષ માત્રામાં કરવામાં આવી છે, જે તેમને આકર્ષિત કરી શકે છે!!!

*અડી-કડી વાવ 
આ વાવ (Vav) જૂનાગઢ ખાતે આવેલી છે. અડી-કડી વાવ (Vav) 81 મીટર લાંબી, ૪.૭૫ મીટર પહોળી અને ૪૧ મીટર ઉંડી છે. શિલ્પ- સ્થાપત્યની દ્રષ્ટિએ બીજી વાવ (Vav)ની તુલનામાં આ વાવ (Vav)માં જોઇએ તેવું સુશોભન જોવા મળતું નથી. પરંતુ અહીં ખડકોનું એક અદ્ભૂત સૌંદર્ય જોવા મળે છે

આ વાવ (Vav)ના નામ પાછળ એક રોચક કહાણી છે, એવું કહેવાય છે કે આ વાવ બનાવતી વખતે અડી અને કડી નામની બે સેવિકાઓએ પોતાનું બલિદાન આપ્યું હતું. કારણ કે વાવમાં પાણી આવ્યું નહોતું અને તે સમયે એક પંડિતે રાજાને કહ્યું હતું કે બે કુંવારિકાઓનો ભોગ આપવામાં આવે તો જ આ વાવમાં પાણી આવશે. જે જાણી રાજાની આ બે સેવિકાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી

*અમૃતવર્શિની વાવ
અમદાવાદ શહેરમાં પાંચ કૂવા દરવાજાની દક્ષિણે આ વાવ આવેલી છે. સરળ ઢાંચામાં બનેલી આ વાવ એલ આકારની છે, વાવના સ્થાપત્ય કામમાં સંસ્કૃત અને પર્શિયન ભાષામાં લખાણો જોવા મળે છે. આ વાવ ૧૭૨૩માં બનાવવામાં આવી હતી. આ વાવને ઇસવીસન ૧૯૬૯માં રાજ્ય સરકારના પુરાતત્વખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હતી.

*માધા વાવ 
વઢવાણ શહેરમાં પશ્ચિમમાં કરણ ઘેલાના નામે પ્રખ્યાત કર્ણદેવ વાઘેલાના મંત્રી માધાના નામ પરથી આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વાવ માં આજે પણ માધા અને તેની પત્નીની પ્રતિમાઓ દ્રશ્યમાન થાય છે. આ વાવ અંગે એવી લોકવાયકા પણ પ્રચલિત છે કે માધાની વાવ દર ત્રીજા વર્ષે એક વ્યક્તિનો ભોગ લે છે. આ વાવ ૫૫ મીટર લાંબી છે.

*માત્રી વાવ 
સુરેન્દરનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કનકાવટી ખાતે આ વાવ (Vav) આવેલી છે. આ વાવ તળાવમાં ભળી ગઇ છે, પણ તેના તમામ લક્ષણો વાવ જેવા જ છે. આ વાવ મોટાભાગે તળાવના પાણીમાં ડુબેલી રહેતી હોવા છતાં આ વાવ બાંધવા પાછળનું કારણ દુકાળમાં લોકોને પાણી સરળતાથી મળી રહે તે છે. આવો શુભ હેતુ આજે બીજીકોઈ વાવ માં કયાંય જોવાં મળતો નથી. શુભ હેતુસર બનાવેલા સ્મારકો લોકોની વાહ વાહ મેળવે જ મેળવે અને એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અવશ્ય બની જાય એ સ્વાભાવિક જ છે.

*મીનળ વાવ
રાજકોટ જિલ્લાના વિરપુર ગામે આ વાવ આવેલી છે. આ વાવ સિદ્ધરાજ જયસિંહ અને તેમના માતા મીનળ દેવીએ બંધાવી હતી. આ વાવ માં બેઠી મુદ્રામાં ભૈરવે ડમરુ અને ઉંચા હાથમાં હરણ ધારણ કર્યું છે. પોઢેલી મુદ્રામાં વિષ્ણુ છે. જો કે ગામની કન્યાઓ આ સ્થાપત્યને મીનળદેવીનું સ્થાપત્ય કહે છે. તેની નાભિ પર બાળક ધારણ કરેલું અને તેમના પગ આગળ ગર્ભવતી મહિલા હોવાનું કહેવામાં આવે છે. આ વાવ એના શીપ સ્થાપત્યને કારણે અવશ્ય જોવાં જેવી છે. સિદ્ધરાજ જયસિંહના યુગને કેમ સુવર્ણયુગ કહેવામાં આવે છે, તે આનાં પરથી તમને ખ્યાલ અવશ્ય આવી જશે.

*છત્રાલની વાવ
અમદાવાદ મહેસાણા રોડ પર આવેલા છત્રાલ ગામે આ પ્રાચીન વાવ આવેલી છે. દીવાલના ઉપરના ભાગે અર્ધગોળ પથ્થરોની ધાર છે. ફાંસના ઘાટ તરીકે ઓળખાતું છાદ્ય અંદરથી અર્ધવૃત્તાકાર છે. અહી ફૂલવેલ ભાત અને ગણેશનું શિલ્પ જોવા મળી શકે છે.

*બત્રીસ કોઠાની વાવ

આ વાવ (Vav) કપડવંજ શહેરની વચ્ચે આવેલી છે. આ વાવમાં બત્રીસ માળ હોવાના કારણે આ વાવને બત્રીસ કોઠાવાળી વાવ કહેવામાં આવે છે. આ વાવમાં રાજાસેનેકા, વેદિકા, આસનપટ્ટા અને કાકસન્નાની રચના અંકોલ માતા અને માતા દાદા ભવાનની વાવ જેવી જ છે. આ વાવના સ્થાપત્ય, પિલ્લર અને પગથિયાં પરથી અનુમાન લગાવી શકાય કે આ વાવ ૧૩મી સદીમાં બાંધવામાં આવી હશે.

*લિંબોઇની વાવ
આ વાવ ઇડરની ટેકરીઓમાં આવેલી છે. આ વાવમાં પડથારની લંબાઇ ૪૨ મીટર છે. વાવમાં શંકુ આકારનો ઘુમ્મટ છે. વાવમાં તમે ગરૂડ પર સવાર વિષ્ણુ, લક્ષ્મી, નંદી પર સવાર શિવ અને પાર્વતીની પ્રતિમાઓ જોઇ શકાય છે જે બેનમુન છે !!!

*માતા ભવાનીની વાવ
આ વાવ અસારવામાં આવેલી છે. બાંધકામની દ્રષ્ટિએ જોઇએ તો આ વાવનું બાંધકામ શહેરની સ્થાપના પહેલાંનું છે, તેથી આ વાવ ૧૪મી સદીમાં બનાવવામાં આવી હશે તેવું માનવામાં આવે છે. તેનું કોતરકામ પણ દર્શાવે છેકે આ વાવ ૧૪મી સદીની છે.

*ભમ્મરિયો કૂવો
ખેડાથી ૧૧ કિ.મી દૂર મહેમદાવાદમાં આ કૂવો આવેલો છે. તેની રચનામાં શૈલગૃહની પદ્ધતિ જોવા મળે છે. ત્રણ માળની આ ઇમારત સવિશેષપણે મુસ્લિમ સલ્તનત કાળની એક સિદ્ધિને પ્રદાન કરે છે. મહેમુદ બેગડાએ આ બંધાવ્યો હતો અને આ એની આગવી વિશેષતા હતી એમ જરૂરથી કહી શકાય !!!

*રોહાની વાવ 
પાલનપુરના સરોત્રાથી ૭ કિ,મી દૂર આવેલા રોહા ગામ ખાતે આ વાવ આવેલી છે. આ વાવ ચાર નાના અભિલેખોવાળી છે. આખી વાવ સફેદ આરસની બનેલી છે. પ્રવેશની બન્ને બાજુ એક એક નાની દેરી બનાવવામાં આવી છે.

*ચૌમુખી વાવ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ચોબારી ગામે આ વાવ આવેલી છે. શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટીએ આ વાવ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ વાવ વિજયા પ્રકારની વાવ છે. વાવની દક્ષિણે શામિયાણો આવેલો છે. શામિયાણાની છતનો આધાર હારબંધ ઉભેલા ચાર થાંભલાઓ પર જોવા મળે છે

*માંડવાનો કૂવો
માંડવાનો આ કૂવો ભમરિયા કૂવાને મળતો આવે છે. આ કૂવામાં પાણી ખેંચવા માટે સાંકડી કમાન બનાવેલી છે, તેમજ કેટલાક ઓરડા બનાવેલા છે, જે ભમરિયા કૂવાને મળતા આવે છે. ઓરડાઓ માટેની સીડી ભમરીવાળી છે. દીવાલોમાં અનેક ગોખલા કરવામાં આવ્યા છે. જેથી ઉનાળા વખતે આ સ્થળનો ઉપયોગ આરામ કરવા માટે કરવામાં આવતો હશે કદાચ !!!

*માણસાની વાવ
આ પ્રાચીન વાવ માણસામાં આવેલી છે, આ વાવ માં શિલાલેખ ૨૮ પંક્તિનો છે. અહીંના ગવાક્ષોમાં ભારવ અને અંબાજીની દેરીઓ બનાવવામાં આવેલી છે. વાવ માં આવેલા કૂવાનો ઘેરાવો ૫.૪૦ મીટરનો છે.

*મોઢેરાની વાવ
મોઢેરા ખાતે સૂર્ય મંદિર જવાના માર્ગમાં આ વાવ આવેલી છે. આ વાવ  તેના કેટલાક વિશિષ્ટ ભાગોના કારણે નોંધપાત્ર છે. આ વાવ માં કોઇ અલંકરણ નથી, ભિતાસ્તંભોની કુંભી સાદી છે. આ વાવમાં કૂટિર જેવી રચના નોંધપાત્ર છે. આ વાવ (Vav)ના ઘાટ શિલ્પાંકન સ્પષ્ટ રીતે સોલંકી યુગના હોવાનું જણાઇ આવે છે !!!

*બોતેર કોઠાની વાવ
આ વાવ મહેસાણામાં આવેલી છે. આ વાવમાં ગાયકવાડી સમયમાં સુધારા વધારા થયા હોવાનું જાણવા મળે છે. આ વાવ અગિયાર મજલા ધરાવે છે, તેમજ એક બીજા સાથે જોડાયેલા કૂવાની રચના પણ અહીં જોઇ શકાય છે !!!

*રાખેંગારની વાવ
પાટણના સમકાલીન શાસક અને જૂનાગઢના રાજા રાખેંગારના નામ પરથી વંથળીમાં આવેલી આ વાવનું નામ રાખવામાં આવ્યું છે. કૂવાની ગોળાકારે આવેલા થાંભલાઓની કલાત્મકતા વાવના સ્થાપત્યને ચાર ચાંદ લગાવી દે છે. વાવની રચનાને જોતા એવું લાગે છેકે અહીં ત્રણ શામિયાણા હશે. આ વાવમાં પણ ઘાટપલ્લવ શૈલીની બાંધણી જોવા મળે છે !!!

*ખેડબ્રહ્માની વાવ
ખેડબ્રહ્મામાં બ્રહ્માજીના મંદિર પાસે આ ૬૦૦ વર્ષ જૂની વાવ આવેલી છે. આ વાવમાં આજે ૨૭ ગોખ મોજૂદ છે, ગોખમાં એકપણ દેવ-દેવીઓની મૂર્તિ જોવા મળતી નથી. આ વાવ કોણે બનાવી તે એક સંશોધનનો વિષય છે !!! દર વર્ષે દિંગબર જૈનો અને ખેડાવળ બ્રાહ્મણો દ્વારા આ વાવમાં તેમના અધિષ્ઠતા દેવનું પૂજન કરવામાં આવે છે.

Black Fungus ને રોકવા માટેની ૩ સરળ ટીપ્સ

*સાસુ-વહુની વાવ (લુણાવ)
પંચમહાલ જિલ્લાના લુણાવાડાના લવાણા ગામે આ વાવ આવેલી છે. વાવ માં તમને બે મહિલાઓને શિલ્પો જોવા મળે છે. આ શિલ્પો પૈકી એક કૃશ મહિલા બાળકને જન્મ આપી રહી છે, તો બીજી પ્રતિમામાં દેવી ગદર્ભ પર સવારી કરતા દર્શાવવામાં આવ્યા છે. તેમજ વાવમાં નવગ્રહ, વિષ્ણુના દશાવતાર તેમજ ચામુંડા, વિરભદ્ર, બ્રહ્માણી, વૈષ્ણવી, ગણેશ વિગેરેની પ્રતિમાં જોવા મળે છે.

Previous Post

રાજકોટ Drugs કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓનું રાજકીય કનેક્શન સામે આવતા હોબાળો…..!

Next Post

દિવાળી પછી Corona ના કેસ નહિ વધે તો પ્રસંગો, ધંધા-રોજગારમાં વધુ છૂટ મળશે

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Patanjali Group
Good News

Baba Ramdev એ આગામી 5 વર્ષમાં Patanjali Group માટે ₹1 લાખ કરોડ અને Patanjali Foods નું ₹50,000 કરોડ ના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે

June 16, 2023
Apple Vision Pro
Knowledge

Apple Vision Pro તેના camera માં third-party applications ની ઍક્સેસ પ્રદાન કરશે નહીં જાણો વિગત વાર

June 15, 2023
Help Me Write
Good News

Gmail ની ‘Help Me Write’ સુવિધા હવે એન્ડ્રોઇડ, iOS પર નોંધાયેલા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે: Report

June 14, 2023
Zinnia Flower
Good News

NASA એ space station ની veggie plant ગ્રોથ સિસ્ટમમાં ઉગાડેલા zinnia flower ની તસવીર શેર કરી

June 13, 2023
Next Post
Corona Marriage

દિવાળી પછી Corona ના કેસ નહિ વધે તો પ્રસંગો, ધંધા-રોજગારમાં વધુ છૂટ મળશે

Samir Vankhede

આર્યન ખાન કેસ : રેડ પાડી હતી તે NCB અધિકારી જ હવે તકલીફમાં મૂકાયો, થશે આ કાર્યવાહી

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News